Thursday, March 28, 2024
Homeસમાચારવિદ્યાર્થી સંગઠન S.I.O.એ ઘોષણાપત્રની જાહેરાત કરી : લઘુમતીઓ માટે અનામતની માંગ

વિદ્યાર્થી સંગઠન S.I.O.એ ઘોષણાપત્રની જાહેરાત કરી : લઘુમતીઓ માટે અનામતની માંગ

દેશના સક્રિય વિદ્યાર્થી સંગઠન એસ.આઇ.ઓ. ઓફ ઇન્ડિયા એ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને “વિદ્યાર્થી ઘોષણાપત્ર” (Students Manifesto) રજૂ કર્યું છે. આ ઘોષણાપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અને અન્ય લઘુમતીઓ માટે ૫ ટકા અનામતની માંગ કરી છે.

પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત મૂકતા રાષ્ટ્રીય અધ્યક્ષ લબિદ શાફીએ કહ્યું કે અમે આ વિદ્યાર્થી ઘોષણાપત્રમાં જાહેર કરેલ માંગોને વિવિધ રાજકીય પક્ષો સમક્ષ લઈ જઈશું અને પ્રયત્ન કરીશું કે તેઓ પોતાના ઘોષણાપત્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતી આ માંગોને સ્થાન આપે.

ઘોષણાપત્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતી માંગોને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે.

(૧) શિક્ષણ : શિક્ષણની કથળતી હાલત અને શૈક્ષણિક સંસ્થાનોમાં સામાજિક ન્યાયને સામે રાખીને RTE એક્ટ, ઉચ્ચ શિક્ષણમાં ફેલોશિપ તેમજ સચ્ચર કમિટીની ભલામણો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

મુખ્ય માંગો :-

– શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને ૧૦ ટકા અને અન્ય લઘુમતીઓને ૫ ટકા અનામત.

– RTE એક્ટને આયોજનબદ્ધ રીતે લાગુ કરવામાં આવે.

– મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ અને રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ અંતર્ગત મળતા સ્ટાયપેન્ડને વધારવામાં આવે.

– અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયાના લઘુમતી દરજ્જાને યથાવત્ રાખવામાં આવે.

– વિશ્વવિદ્યાલયોમાં અરબી અને ઇસ્લામિક સ્ટડીઝના વિભાગો શરૂ કરવામાં આવે.

(૨) યુવાનો :  ઘોષણાપત્રમાં યુવાનોના મુદ્દાઓને વાચા આપવા નીચે મુજબની માંગો કરવામાં આવી.

મુખ્ય માંગો :-

– સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ શક્ય તેટલી વહેલી ભરવામાં આવે.

– સરકારી નોકરીઓની પસંદગી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવામાં આવે.

– રંગનાથ મિશ્રા કમિશનની ભલામણ મુજબ સાર્વજનિક ક્ષેત્રની નોકરીઓમાં અનામત આપવામાં આવે.

(૩) માનવાધિકાર : ઘોષણાપત્રમાં માનવાધિકાર પર પ્રકાશ પાડતા ધાર્મિક અને અન્ય લઘુમતીઓ પર થતી હિંસા વિરુદ્ધ કાયદો ઘડવાની માંગ કરવામાં આવી છે.

મુખ્ય માંગો :-

– આસામમાં નાગરિકોના રાષ્ટ્રીય નોંધણી કાર્યક્રમ (NRC)ને નિષ્પક્ષ અને પારદર્શક પધ્ધતિથી ચલાવવામાં આવે.

– માનવાધિકારોના સંરક્ષણ માટે બનેલી સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવે.

– CrPC ૧૯૭ કાયદાને નાબૂદ કરવામાં આવે.

આ ઘોષણાપત્રના વિમોચન વખતે સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત વિવિધ વિશ્વવિદ્યાલયો (AMU, JNU, JMI)ના વિદ્યાર્થી પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં.











RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments