૨૫ રાજ્યોમાં ફેલાયેલુ એસઆઈઓ આજે ભૌગોલિક ક્ષેત્રને આધારે વિશ્વનું સૌથી મોટું ઇસ્લામિક
વિદ્યાર્થી સંગઠન છે. ઇસ્લામ દ્વારાજ માનવતાને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લાંવી શકાય
તેવી માન્યતા અને સૃષ્ટિના સર્જક અલ્લાહમાં અપાર શ્રધા સાથે એસઆઈઓ વિદ્યાર્થીઓ માટે
અનેક સેવાકાર્યો કરી રહી છે.
મિશન: એસઆઈઓ વિદ્યાર્થીઓને ઈશ્વરીય માર્ગદર્શન મુજબ સમાજના નવનિર્માણ માટે તૈયાર
કરવા ઈચ્છે છે.
એસઆઈઓ પોતાની સ્થાપનાના વર્ષ ૧૯૮૨ થી જ વિદ્યાર્થી સમુદાય ના હ્રદયની ધડકન બનીને ઉભરી
અને ત્રણ દાયકાથી શિક્ષણ અને નૈતિક ઘડતરના મૂલ્યોના આધારે દેશના ખૂણે ખૂણામાં લોકપ્રિય
થઇ છે. જુજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રારંભ કરવામાં આવેલી આ ચળવળ વિદ્યાર્થીઓને જીવનનું
ખરું જ્ઞાન અને સફળતાની ખરી કસોટી બતાવવા અથાક પ્રયત્નો વડે દરેક વિચારશીલ વિદ્યાર્થી
અને યુવાન માટે પ્રેરકબળ બની ગઈ છે.