Saturday, April 20, 2024
Homeસમાચારટ્રમ્પના આગમન પહેલા અમદાવાદના રસ્તાઓના કિનારે દિવાલો કેમ બનાવવામાં આવી રહી છે

ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદના રસ્તાઓના કિનારે દિવાલો કેમ બનાવવામાં આવી રહી છે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય પ્રવાસ પર 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. 2017 માં રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પની આ ભારતની પ્રથમ મુલાકાત છે. ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના પ્રવાસ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોર્પોરેશન અમદાવાદ એરપોર્ટથી સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનો માર્ગ મરમ્મત કરી રહ્યું છે. આ માર્ગમાં પડતી ઝૂંપડપટ્ટીઓને છુપાવવાની કવાયત ચાલુ છે. આ માટે માર્ગ અને ઝૂંપડીઓ વચ્ચે સાત ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકો આ ઘટનાથી નારાજ છે.

મીડિયા સાથે વાત કરતા, ત્યાં રહેતા મહેશે કહ્યું, “હમણાં સુધી અહીં લીલું કાપડ લગાવી ઢાંકી દેવાતું હતું. હવે દિવાલ બનાવવામાં આવી રહી છે. જો સરકાર ગરીબોની શરમ અનુભવે તો ગરીબીને દૂર કરવા નક્કર પગલાં ભરવા જોઈએ.”

આ દિવાલ અંગે જ્યારે અમદાવાદના મેયર બિજલ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “મેં તે જોયું નથી. તેના વિશે ખબર નથી. “

ન્યૂઝ એજન્સી એએનઆઈનું ટ્વીટ જુઓ.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “લગભગ 600 મીટરના અંતરે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારને આવરી લેવા 6-7 ફુટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. આ પછી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે.”

અગાઉ, જ્યારે જાપાનના વડા પ્રધાન શિંઝો આબે અને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ આવ્યા ત્યારે આ ઝૂંપડપટ્ટીને લીલા પડદાથી છુપાવવામાં આવી હતી.

સૌજન્યઃ thelallantop.com


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments