Thursday, March 28, 2024
Homeમનોમથંનપરિસ્થિતિ ખરાબ છે ...

પરિસ્થિતિ ખરાબ છે …

ઘરમાં, કોલેજમાં, બજારમાં, હોસ્પિટલમાં, હોટલમાં… દરેક જગ્યાએ આપણે કહીએ અને સાંભળીએ છીએ કે ‘પરિસ્થિતિ ખરાબ છે.’ સભામાં વક્તાઓ, સમાચાર પત્રના કોલમનિસ્ટ અને ટી.વી.નો એંકર બધા બુમ બરાડા કરે છે “પરિસ્થિતિ ખરાબ છે.” કદાચ આ વાત સાચી છે, દુનિયામાં દરેક શક્તિશાળી વ્યક્તિ કમજોર ઉપર અત્યાચાર કરી રહ્યો છે. આપણા પોતાના દેશમાં એવા લોકોની સરકાર છે જેમની જીભ ઉપર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ રહે છે પરંતુ તેઓ ઘરવાસપી, લવ જિહાદ, ભારત માતા, વંદે માતરમ, તીન તલાક, રામમંદિર, સરસવતિ વંદના, સુર્ય નમસ્કાર અને ગાય જેવા નકામા મુદ્દાઓ ઉપર રાજનીતિ કરીને દેશના ભાગલા પાડી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે દેશમાં એક ખાસ વર્ર્ગના લોકોને દબાવી દેવામાં આવે અને તેમના ઉપર એક બીજા વર્ગની સરકાર સ્થાપિત થઈ જાય. આમ કરવા ખાતર તેઓ દેશની ગંગા-જમની સંસ્કૃતિ જ નહીં બલ્કે અહીંના બંધારણ, કાયદો અને લોકશાહીના મુલ્યોની બલી ચઢાવવા માટે પણ તૈયાર છે.

“પરિસ્થિતિ ખરેખર ખરાબ છે.”

પરંતુ પ્રશ્ન આ છે કે આ ખરાબ પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયા શું છે? અને શું હોવું જોઈએ?

જ્યાં સુધી પ્રથમ પ્રશ્નની વાત છે, સામાન્ય રીતે આપણે ત્રણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરીએ છીએ.

૧) આપણામાંથી અમુક પોતાની મસ્તીમાં રહેવાવાળા લોકો છે. સામાન્ય રીતે એવા લોકો માલદાર છે. ઉચ્ચ (upper class) અથવા ઉચ્ચ મધ્યમ વર્ગો (upper middle class)થી સંબંધ ધરાવે છે. ‘ખરાબ પરિસ્થિતિ’ની અસરો જોકે તેમના સુધી સીધી (directly) નથી પહોંચી. આના ઉપર તેમનો કોઈ અસર નથી હોતો. તેમને કોઈ ફેર નથી પડતો. તેઓનું જીવન આરામથી વીતી રહ્યો હોય છે અને તેઓ આ સ્થિતિમાં સંતુષ્ટ હોય છે. આ સંવેદનહિનતાની પ્રતિક્રિયા છે.

૨) આપણામાંથી અમુક લોકો ‘ખરાબ પરિસ્થિતિ’થી પ્રભાવિત થઈ જાય છે. વિચારે છે કે આ જ આપણી સ્થિતિ છે અને આમાં જ આપણે ખુશ રહેવું જોઈએ. હક્કો અને માંગો મુર્ખતા છે. એવી ‘ખરાબ પરિસ્થિતિ’માં આપણી કોઈ સાંભળશે નહીં. આપણા ભાગ્યમાં લખેલું છે તેમ સમજી લેવું જોઈએ અને બીજા વર્ગના નાગરિક બનવા ઉપર ખુશ રહેવું જોઈએ. આપણે કોઈ બીજા હક્ક નથી જોઈતો. ફકત જીવવા અને શ્વાસ લેવાનો હક્ક પૂરતો છે… અને જે કાંઇ મળી જાય તે આ સરકારની મહેરબાની છે. તેથી જીવવા રહેવા માટે જો આપણને પોતાની ઓળખ અને સંસ્કૃતિ બલ્કે આગળ વધીને પોતાના દીન (ધર્મ) અને ઈમાનનો સોદો કરવો પડે તો આપણે આ સમાધાન માટે તૈયાર રહેવું જોઈએ. પર્સનલ લૉ, વંદે માતરમ, ભારત માતા, સુર્ય નમસ્કાર જેવા મુદ્દાઓ ઉપર ઉડાન ભરવી મુર્ખતા છે. આ લઘુતાગ્રંથિની પ્રતિક્રિયા છે.

૩) આપણામાંથી અમુક લોકો ઈંટનો પ્રતિભાવ પત્થરથી અને પત્થરનો તોપથી આપવા ઇચ્છે છે. મોટાભાગના લોકો તો કશું કરી શકતા નથી પરંતુ વાતો કાપી નાખવા, ચીરી નાખવા અને ફાડી નાખવાની કરે છે. “તેઓએ એક નિર્દોષને માર્યો છે તો આપણે દસ નિર્દોષોને મારીશું”  આ તર્કથી વિચારે છે. પોતાની સભાનતાને ગુમાવીને વિચારે છે. દરેક જગ્યાએ ષડયંત્રોની તાકમાં રહે છે. સૌને દુશ્મન સમજે છે અને બધાને દુશ્મન બનાવી લે છે. આ ક્રોધિત પ્રકૃતિના લોકોની પ્રતિક્રિયા છે.

ફુટબૉલની રમતનું ઉદાહરણ લઈએ તો સંવેદનહિનતાનાં પીડિતનો ઉદાહરણ એ હશે કે તે બિલ્કુલ સંતોષથી ફુટબૉલના મેદાનમાં ઉભો રહે છે.  થોડો પણ દોડીને થાકવાનું ઇચ્છે નહીં. વિચારશે કે “બીજા ખેલાડીઓ તો છે જ મેચને જીતાડવા માટે, અને ન જીતી શક્યા તો શું થયું બીજો નંબર તો આવશે.” ક્યારે બૉલ એમની દિશામાં આવી ગઈ તો તુરત જ બીજા ખેલાડીને બૉલ પાસ કરી દેશે, તેને ધ્યાનમાં લીધા વગર તે ખેલાડી તેની પોતાની ટીમનો છે કે વિરોધી ટીમનો.

લઘુતાગ્રંથીથી પીડિત ખેલાડીનો ઉદાહરણ આ છે કે તે વિરોધી ટીમની તાકાત અને કાબેલિયતથી ભયભિત રહે છે. વિચારશે કે આ ટીમે આટલી મેચો જીતી છે. અગાઉની મેચોમાં ખૂબ ખરાબ રીતે કચડી નાખી હતી. ફલાણો ખેલાડી તો જરૃર બે-ચાર ગોલ કરી દેશે. આપણા જીતવાની એક પૈસાની આશા નથી. અને આમ મેચ શરૃ થવા પહેલા જ હાર સ્વિકાર કરી લે છે.

એક ક્રોધિત પ્રકૃતિના ખેલાડીનો ઉદાહરણ આ છે કે તે જોરથી નારો લગાવી મેદાનમાં દોડશે. વિરોધી ટીમ અને તેમના ખેલાડીઓને અપશબ્દ બોલશે. યોગ્ય-અયોગ્ય હથકંડો અપનાવી બોલ ઉપર કબ્જો જમાવવાની કોશિશ કરશે અને આગળ પાછળ જોયા વિના બોલને લઈને એમ જ ઉતાવળો કરી દોડવા લાગે છે. અને અંતે ગોલ કરી દેશે પરંતુ ગોલ કર્યા પછી તેમના સાથી ખેલાડીઓની બુરાઈ કરવા લાગે છે કેમકે તેણે પોતાની ટીમની ગોલ પોસ્ટમાં જ બોલ નાખ્યો હશે.

પરિસ્થિતિ ખરાબ છે અને ખરાબ જ રહેશે જ્યાં સુધી આપણે અને આપણો સમાજ આ જ ત્રણ પ્રકારની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ કરતો રહેશે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ છીએ કે આપણી પ્રતિક્રિયા શું હોવી જોઈએ?

તો આનો જવાબ છે કે આપણી પ્રતિક્રિયામાં ‘જવાબદારીની સભાનતા’ ઝળકવી જોઈએ. આપણે સંપૂર્ણ સંતોષ અને ધીરજ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. પરિસ્થિતિની ખરાબી પાછળ કયા પરિબળો છે? તેને કેવી રીતે દૂર કરવામાં આવે? સુધારણા માટે કયા પગલાં હોઈ શકે? કયા પ્રકારના ટુકાં ગાળા (Short Term) અને લાંબા ગાળા (Long Term)ના આયોજન અને પગલાઓની જરૃર છે? વગેરે વગેરે. આ કામ કદાચ કોઈ વ્યક્તિના નહીં બલ્કે તેહરીકના કરવાના છે પરંતુ વિચારવાવાળો કોઈ પણ વ્યક્તિ બિલ્કુલ સંતોષ સાથે આ પરિણામ સુધી પહોંચી શકાય છે કે;

૧) “ખરાબ પરિસ્થિતિ”નું એક મોટું કારણ ગેરસમજ અને અવિશ્વસની ભાવના છે. જે દેશના બહુમતી વર્ગમાં જોવા મળે છે. ખરેખર આ ગેરસમજ – ઘણા દુર સુધી – “ભાગલા પાડો અને રાજ કરો”ની અંગ્રેજી નીતિનું પરિણામ છે પરંતુ આમાં આપણી ખોટ પણ વધારે છે. મુસ્લિમો, હજારો વર્ષથી પણ વધારે સમયથી ભારતમાં છે પરંતુ દેશવાસીઓ હજી સુધી ઇસ્લામી    અકીદો અને તેની સંસ્કૃતિથી અજાણ છે અને આ માટે ખૂબ સરળતાથી ખોટા પ્રોપેગન્ડાનું શિકાર થઈ જાય છે. આ ગેરસમજો અને અવિશ્વાસની ભાવનાને દૂર કરવા માટે ઝડપી પગલાં લેવા અનિવાર્ય છે.

૨) ખોટા પ્રોપેગન્ડાને અમાન્ય ઠેરવવું જરૂરી છે, પરંતુ તે પૂરતું નથી. જરૃર એ વાતની છે કે ઇસ્લામનો સાદો અને સુંદર અકીદો, શિક્ષણ, અલ્લાહના રસૂલ સ.અ.વ.નું નમુના રૃપ જીવન, માર્ગદર્શન – સફળતાની ચાવી અને કુઆર્નથી દેશવાસીઓને મોટા પ્રમાણમાં વાકેફ કરાવવામાં આવે તેથી તેઓ જાણી લે કે સફળતા અને મુક્તિનો સત્ય માર્ગ શું છે.

૩) ઉપદેશ જરૂરી છે પરંતુ આ પુરતો નથી. કારણ કે સત્યની સાક્ષી આપણને ફકત દિલ અને જીભથી જ નથી પરંતુ હાથ અને પગથી પણ આપવી છે. જ્યાં સુધી આપણો ચરિત્ર અને આપણું જીવન ઇસ્લામી ન હોય ત્યાં સુધી આપણે ઇસ્લામની વિશ્વવસનીયતાને દેશવાસીઓ સુધી પહોચાડવાનો હક અદા નહીં કરી શકીએ. જરૂરત આ છે કે આપણે પોતાના જીવનને ઇસ્લામના ઢાંચામાં નાંખી દઈએ અને એક આદર્શ સમાજની રચના કરીએ. ધરતી ઉપર આવી જન્નતને જ્યારે લોકો જોશે તો કોઈ પ્રોપેગન્ડાની તાકતથી તેને અણદેખા કરી શકાશે નહીં.

આ વાતને કહેવું અને લખવું તો આસાન છે પરંતુ પોતાના સૌથી મોટો દુશ્મન ઇબ્લીસ (શેતાન)ના વસવસાની વિરુદ્ધ જઈને સંવેદનહીનતા અને ઇશ્તેઆલ/ ઉશ્કેરણીના ફંદાથી બચીને બળ અને ભરોસા સાથે સત્ય માર્ગ ઉપર ચાલી નિકળવું અને ધૈર્યને પકડી રહેવા મુશ્કેલ છે. આ મુશ્કેલીઓથી ગુજરી જવા ઉપર અલ્લાહની રઝા અને જન્નતનો વચન છે.!!!  *

(લેખક,પોલીટીકલ સાયન્સમાં દિલ્હી યુનિવર્સિટીથી પી.એચ.ડી.ના વિદ્યાર્થી છે અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના કેન્દ્ર સલાહકાર સમીતિના સભ્ય છે. અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્ટુટ ઑફ ઇસ્લામિક સ્ટડીઝનવી દિલ્હી ખાતે અધ્યાપક છે. તેમનાથી yasiratiq@gmail.com  દ્વારા સંપર્ક સાધી શકાશે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments