Friday, March 29, 2024
Homeસમાચારએસ.આઈ.ઓ. એન્ટરપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭

એસ.આઈ.ઓ. એન્ટરપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા દ્વારા ૨૩-૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭, મુંબઈ ખાતે “નવા અને અજાણ્યા વિચારો પર આધારિત વ્યક્તિગત વ્યવસાય” એટલે Entrepreneurship Summitનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટનો આશય સંગઠનના લોકો અને મુસ્લિમ ઉમ્મતમાં સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા, મહેનત અને જોખમ ઉઠાવવાની ભાવના બળવત્તર બને અને એન્ટરપ્રિન્યરશિપના ચાલકબળો ઉપલબ્ધ કરાવવાનો હતો. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ પણ સહાબા રદિ. દરમ્યાન આ પ્રકારના વલણને ઉત્તેજન આપ્યું હતું.

એન્ટરપ્રિન્યરશિપ સમિટમાં દેશભરમાંથી સંગઠનના સભ્યો અને બીજા ચુનંદા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમિટમાં’ઉદ્યોગસાહસિક વર્તન – ઉદ્દેશ્ય અને તેનું મોડલ ઃ એક ઇસ્લામિક પરિપ્રેક્ષ્ય’, ‘એન્ટરપ્રિન્યરશિપમાં શું કરવું અને શું નહીં’, ‘સ્ટાર્ટઅપ કરવાના પડકારો’, ‘આઈડિયા ડેવલપમેન્ટ’, ‘એન્ટરપ્રિન્યરશિપનો પ્રગતિશીલ અભિગમ’, ‘ધી પાવર ઑફ નેટવર્કીંગ ટેલ્સ’, ‘ડિજિટલ માર્કેટીંગ’, ‘શૈક્ષણિક જગતમાં એન્ટરપ્રિન્યરશિપ’ જેવા વિવિધ વિષયોને નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવ્યા. સહભાગીઓએ ધ્યાનપૂર્વક આ બે દિવસીય સમિટમાં ભાગ લીધો અને પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા.

અધ્યક્ષીય પ્રવચનમાં જનાબ ખલિકઅહમદે જે એસ.આઈ.ઓ.ના જનરલ સેક્રેટરી છે, જણાવ્યું કે શિક્ષિત નવયુવાનો અને વિવિધ આધુનિક શિક્ષણ-જ્ઞાન અને કળાના નિપૂણ વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધવાના બદલે નવા વ્યવસાયિક સંસ્થાનો અને તેના સંબંધિત સેવાઓ આપવા તત્પર થાય. તેથી તેઓ સ્વયં નિર્ભરતા, બીજા લોકો માટે રોજગારની ઉપલબ્ધી અને મુસ્લિમ ઉમ્મતની આર્થિક મજબૂતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે. ઉલ્લેખનીય છે કે આવા નવયુવાનો પોતાની અસરોનું બહોળું વર્તુળ ધરાવે છે અને સામાજિક-રાજકીય દબાણ ઉત્પન્ન કરી શકે અને ઇસ્લામી ઘણી બધી જરૂરતને પૂરી કરવા માટે સાધનો-સંસાધનો પણ ઉપલબ્ધ કરાવી શકે છે. વધુમાં જણાવ્યું કે ભારત સરકારના વિવિધ ખાતાઓ અને ઉમ્મતની ઘણી સંસ્થાઓ પણ આ સંબંધે જરૂરી જાણકારી, યોગ્યતાઓનું વળતર, કળા, કૌશલ્ય બાબતે સલાહ, માર્ગદર્શન અને જરૂરી સાધનો પૂરા પાડે છે. જેનાથી ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. સમિટના અંતે ‘એસ.આઈ.ઓ. ઉદ્યોગસાહસિકોનું સેલ’ પણ બનાવવામાં આવ્યું./

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments