Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઅપની દુનિયા આપ પૈદા કર, અગર ઝિંદો મેં હૈ !

અપની દુનિયા આપ પૈદા કર, અગર ઝિંદો મેં હૈ !

ર૦૧૪ માં દિલ્હીની ગાદીની લડાઈ મુઝફ્ફરનગરથી શરૃ થઈ છે. આ લડાઈમાં વિજય મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્લાનિંગ અને કોશિશ કરવામાં આવી રહ્યા હતા. જાત-બિરાદરી અને ધર્મ અને બોલી દરેક રીતે સમાજમાં વિભાજનને ખૂની સંઘર્ષમાં બદલવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે, અને NDTV ના પ્રખ્યાત એંકર રોશનકુમાર અનુસાર – ”મુજફ્ફરનગરમાં બધું એવું જ થઈ રહ્યું છે જેવું કહેવામાં આવી રહ્યું હતું.” ગેરસમજો, પ્રોપગન્ડા અને આતંક પેદા કરવાવાળી અફવાઓ ફેલાવવાનું કામ લાંબા ગાળાથી ચાલી રહ્યું હતું. ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષથી લગાતાર ઉશ્કેરણી કરનાર કાર્યવાહીઓ અસામાજિક અને ગુંડા તત્ત્વો, વિશેષતઃ દેવબંદ અને તેના આસપાસ વિસ્તારમાં કરી રહ્યા હતા. જે રીતે દાઢી-ટોપીવાળા અને દેવબંદના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવીને ટ્રેનો અને બસોમાં મારપીટનો ભોગ બનાવવામાં આવતા રહ્યા અને તેની વિધિસરની ફરિયાદ રેલ્વે અને જિલ્લા વ્યવસ્થાતંત્રના સત્તાધિકારીઓથી દેવબંદ અને અન્ય સામાજિક આગેવાનો કરતા રહ્યા, તે બધું જ રેકર્ડ પર મોજૂદ છે. આ કેવળ છોકરીની છેડતીનો પ્રશ્ન નથી, જેમ કે મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. લેખકને પોતાને પણ રેલ્વેના સફર દરમ્યાન આ વિષયુક્ત અને સમાજ-દુશ્મન, વૈમનસ્યથી ભરપૂર અભિયાનનો જાત-અનુભવ છે, જેમાં મુઝફ્ફરનગર અને સહારનપુર દરમ્યાન કોઈ નાના સ્ટેશન પર ઊભા રહીને વિદ્યાર્થીઓ મોબાઈલ પર ઉશ્કેરણીજનક ભાષણ સાંભળી રહ્યા હતા.

એક અન્ય સફરમાં આ જ વિસ્તારમાં ૧૫ મિનિટના અંતરની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ હતી, જ્યારે કેટલાક આધેડ ઉંમરના લોકો અને અમુક નવયુવાનો નિરંતર એક જ વાત કહી રહ્યા હતા કે – આમને એક વાર સબક શીખવાડી દેવો છે, આ આપણા નેતાઓ વોટ લેવાના ચક્કરમાં મેળમેળાપની વાતો કરવા લાગી જાય છે, નહિં તો અત્યાર સુધી આરપારની લડાઈ લડીને તેમને ઠેકાણે પાડી દેતા. આટલી જબરજસ્ત બ્રેઈન-વૉશિંગ અને નફરતની ખેતી એક દિવસમાં વાવવામાં નથી આવી. આના માટે લાંબો સમય અને યોજનાબદ્ધ પ્રયાસો કરવામાં આવ્યા છે; જે દૈનિક ‘ધી હિન્દુ’ (દિલ્હી)ના ૧૧/૯/ર૦૧૩ ના અંકથી પણ સ્પષ્ટ છે કે કેટલું આયોજનબદ્ધ કામ જૂઠા અને નિરાધાર પ્રોપગન્ડા કરવા માટે કરવામાં આવ્યું છે. ‘ધી હિન્દુ’ના પત્રકાર પ્રશાંત ઝા એ વિશ્વ હિંદુ પરિષદના પશ્ચિમ ઝોનના જવાબદાર ચંદ્રમોહન શર્માથી ખતૌલીમાં વાતચીત કરી અને લખ્યું કે – ”મિ. શર્મા કહે છે કે મુસલમાનોએ ‘લવ જિહાદ’ (Love Jihad) શરૃ કરી રાખ્યું છે. તેના માટે તેમને મદ્રસાઓમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેઓ સુંદર નવયુવાન યુવતીઓને શોધીને તેમના સોનુ, મોનુ, રાજુ જેવા એક સરખા નામો રાખે છે. તેમને મોબાઈલ, મોટર બાઈક આપે છે. તેઓ શાળાઓની બહાર ઊભા રહીને અમારી છોકરીઓને પોતાના તરફ પ્રોફેશનલ મહારતની સાથે આકર્ષિત કરે છે.

પહેલા તો અમારી છોકરીઓ ઇન્કાર કરે છે, પછી ધીમે-ધીમે ફસાઈ જાય છે. છોકરીઓના ઘરથી ભાગી જવાના ૧૦૦ માંથી ૯૫ મામલાઓમાં છોકરીઓ હિંદુ હોય છે. આ બધા હિંદુ છોકરીઓથી મશીનની જેમ બાળક પેદા કરાવડાવે છે, જેથી આ પ્રદેશમાંથી હિંદુઓની સંખ્યા ઓછી થઈ જાય.” આ ભાષણ મહાપંચાયતમાં પણ કરવામાં આવ્યું. બજરંગ દળના યુ.પી.ના વડા બલરાજસિંગે કહ્યું – ”કાવતરું ખૂબ ઊંડુ છે કે કાશ્મીરની જેમ તેઓ અહીં પણ અમારા પર વર્ચસ્વ મેળવવા ઇચ્છે છે. તેઓ અમારી મિલ્કતો અને મહિલાઓને કબજે કરવા ચાહે છે. તેથી Love Jihad કરી રહ્યા છે.” મેરઠમાં વિશ્વ હિંદુ પરિષદના સંગઠનીય મંત્રી સુદર્શનસિંગે પત્રકારને બતાવ્યું કે મહાપંચાયત પછી જે થયું તે ગોધરા હતું અને તેના પછી ગામડાઓમાં જે થઈ રહ્યું છે તે પોસ્ટ-ગોધરા છે. તેમણે કહ્યું કે વિજય અમારો થશે. અમે અમારા મંદિરો, મહિલાઓ, ગાય, ગંગા અને ધર્મની રક્ષા કરીશું. સૌથી મહત્ત્વની અને મુદ્દાની વાત સંઘના એક હોદ્દેદારે પોતાને જાહેર ન કરવાની શરતે એ બતાવી કે – ”પહેલી વાર મુસલમાનો અને જાટ લડી રહ્યા છે. આ ખૂબ મોટી સફળતા છે. પહેલી વખત જાટ પોતાને હિંદુ સમજી રહ્યા છે. જો હજુ વધારે બિરાદરીઓ મુસલમાનોથી લડે છે તો એ અમારા માટે એટલું જ વધારે સારું હશે. બીજેપીને ફાયદો થશે. મુસલમાનોને સબક શીખવાડવો જરૂરી છે, કેમ કે તેઓ વિચારી રહ્યા હતા કે તેઓ મુલાયમ દ્વારા યુપી પર શાસન કરશે. દરેક બિરાદરીથી પહેલા ધર્મ છે. તમારે પહેલા તમારા ધર્મની રક્ષા કરવાની છે. અમારો સંદેશ સારી રીતે સ્વીકારવામાં આવ્યો છે. ઘણાં વર્ષોમાં આવું પ્રથમ વાર થયું છે.” (પ્રશાંત ઝા, ધી હિંદુ, દિલ્હી, ૧૧/૯/ર૦૧૩)

સુબ્રમણ્યમ સ્વામીએ અમુક દિવસો પહેલાં એ નિવેદન આપ્યું હતું કે બીજેપીને સત્તામાં આવવા માટે હિંદુઓને એક અને મુસલમાનોને વેરવિખેર કરવા પડશે. હિંદુઓને એક કરવા માટે તેમના પાસે કોઈ એક કોમી કારણ કે સાધન નથી, સિવાય કે મુસલમાનોથી નફરત અને દુશ્મનીના. ધર્મ-પરિવર્તન (મીનાક્ષીપુરમ્ પછી) પેટ્રો-ડૉલર, ગૌહત્યા (સદાબહાર મુદ્દો), સભા-સરઘસ યાત્રાઓ પર પથ્થરમારો, મહિલાઓની છેડતી વગેરે મુદ્દાઓ હિંદુઓને એક કરવાની તમામ ચાલબાજીઓ મુસ્લિમ-ઇસ્લામ દુશ્મનીના આગળ-પાછળ ફરી રહી છે. સ્વતંત્રતા પહેલાં પણ અને પછી પણ એ જ સ્થિતિ છે.

સ્વતંત્રતા પછી એક ખતરનાક માનસિકતા રાજકીય પક્ષોમાં એ ઊભી થઈ ગઈ છે કે મુસલમાનોને ચૂંટણી વખતે TINA (There is no alternative, કોઈ બીજો વિકલ્પ નથી)ની મનોસ્થિતિમાં આ રમખાણો દ્વારા ગ્રસ્ત રાખવા માગે છે. આ મામલામાં સેક્યૂલર અને કોમવાદી બંને પ્રકારની કતારો એક મૌન-સંધિ (Understanding) અનુસાર વર્તન કરી છે અને તેના પર અમલ કરવામાં આવી રહ્યો છે; નહિં તો આ કોમી રમખાણો યોજનાબદ્ધ રીતે વિશેષ સમય અને સ્થિતિમાં જરૂરત મુજબ જ કેમ થાય છે ? આજ સુધીની સરકારોએ આતંકવાદના નામે જેટલું કઠોર વલણ અને સખત કાનૂન બનાવ્યા છે, કોમી રમખાણોના ગુનેગારો સામે એવું વલણ કેમ અપનાવવામાં નથી આવતું અને તેમના માટે એવા કાનૂન કેમ બનાવવામાં આવતા નથી ? પાછલા ઘણા વર્ષોથી કોમી રમખાણો વિરુદ્ધ બિલ પાસ કેમ નથી થયું ? ભોજનના અધિકાર જેવો કાનૂન બનાવવાની ઉતાવળનું પ્રદર્શન આ કાનૂનના સંદર્ભમાં કેમ ન કરવામાં આવ્યું ? કેમ ક્યારેય હિંદુ કોમવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યા? ગત માસમાં મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે સનાતન સંસ્થા વિરુદ્ધ પ્રતિબંધ મૂકવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી, પરંતુ કેન્દ્રએ પ્રતિબંધ ન મૂક્યો, એ કારણ દર્શાવીને કે પાછલા ત્રણ વર્ષ દરમ્યાન આ સંસ્થાએ કોઈ પ્રવૃત્તિ કરી નથી. માલેગાંવ બોંબ ધડાકામાં સંડોવાયેલ અભિનવ ભારત (કર્નલ પુરોહિતવાળું સંગઠન) પર પણ પ્રતિબંધ હજુ સુધી મૂકવામાં નથી આવ્યો.

સંભવતઃ આખી દુનિયામાં એ પ્રથા છે કે દરેક વ્યવસ્થા અને પ્રત્યેક દેશ લઘુમતીના મામલામાં સહયોગી ઉકેલના રૃપે એક ટકા લશ્કરે તય્યબા, English Defence League, શીવસેના, Dot Buster Skinheadને પાળે-પોષે છે, જેનો તે આવશ્યકતાનુસાર ઉપયોગ કરી શકે છે, નહિં તો પાછલા ૬૫ વર્ષોમાં ધાર્મિક કોમી મામલાઓમાં વ્યવસ્થા-તંત્ર અને ન્યાયવ્યવસ્થાની નિષ્કર્મણ્યતા અને પક્ષપાતનું કારણ શું હોઈ શકે છે ? અત્યાર સુધી ૨૫૦૦૦ કોમી રમખાણોમમા ં બે-ચારને છોડીને કોઈ મામલામાં પણ સજા નથી થઈ. મુંબઈ કોમી રમખાણો પર શ્રીકૃષ્ણ કમિશનનના અહેવાલ અંગે ઉદાસિનતા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા રાજનેતાઓ એ જાણે છે કે મુસલમાનોને ડરાવી-ધમકાવીને તેમને તેમની ઓકાતમાં રાખવા ખૂબ જરૂરી છે, નહિં તો તેઓ માથા પર ચઢી જાય છે. જે કામ માયાવતી આ જ પક્ષપાતી વહીવટીતંત્ર દ્વારા પૂરું કરી શકતી હતી, તે ‘મૌલાના’ મુલાયમ કેમ નથી કરી શકતા ? માત્ર ટોપીઓ અને અરબી રૃમાલ પહેરીને બેવકૂફ બનાવવાની રસમ હવે સમાપ્ત થવી જોઈએ.

આત્મ-નિરીક્ષણ:

પરંતુ અહીં થોડીક વાર રોકાઈને પૂરેપૂરી પ્રમાણિકતાથી મિલ્લતે, તેના આગેવાનોએ, રાજકીય નેતૃત્વએ, સેક્યૂલર બુદ્ધિજીવીઓએ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર પોતાનું નિરીક્ષણ કરવું જરૂરી છે કે આપણી બરબાદીઓમાં આપણો કેટલો હાથ છે ? એક ખુદા, એક રસૂલ, એક કિતાબ, એક કા’બાના દાવેદાર; પરંતુ કોઈપણ વ્યક્તિ મિલ્લતને એક અને સંગઠિત કરવા માટે કુરબાની આપવા તૈયાર નથી. દરેક બુદ્ધિજીવી થિંક-ટેંક બનીને ફરી રહ્યો છે. તત્પશ્ચાત્, સલ્ફી ઇસ્લામ, દેવબંદી ઇસ્લામ, સૂફી ઇસ્લામ, રાજકીય ઇસ્લામવાળું વિભાજન પણ આપણે જ પેદા કરેલું છે. એ વાત બીજી છે કે હવે તેમને તેમના હોશિયાર દુશ્મનોએ સ્પૉન્સર કરવાનું શરૃ કરી દીધું છે. નવા-નવા પર્સનલ લૉ બોર્ડ, સૂફી મશાઈખ બોર્ડ દુશ્મનો દ્વારા સ્પૉન્સર થઈ રહ્યા છે. મસ્જિદો પર કબજો કરવાની લડાઈ તમામ ગુંડાગીરીઓની સાથે દીનદાર લોકો કરી રહ્યા છે.

પ્રત્યેક જમાઅત ઇચ્છે છે કે મસ્જિદોમાં તેના સિવાય કોઈપણ હસ્તક્ષેપ કરવાનો હક્કદાર નથી. તમામ અર્ધ-રાજકીય ધાર્મિક જમાઅતોમાં સત્તાધારીઓનું સામીપ્ય અથવા તેમના હૉલસેલ ડીલર બનવાની ભૂખ વધતી જઈ રહી છે. તમામ લોકો જે કામ કરી રહ્યા છે, તેઓ બીજાઓની સાથે ભાગીદારી અને સહયોગ નથી કરી શકતા, તો ઓછામાં ઓછા કુફ્ર અને પથભ્રષ્ટ (ભટકી ગયેલા હોવાના)ના ફતવાઓ લગાવવાથી તો બચી શકે છે. દરેક જમાઅત જે કામ કરી રહી છે, તે મહત્ત્વના અને જરૂરી છે. તેને કાર્ય-વહેંચણીની રીતે અપનાવીને બીજાઓ માટે અવકાશ રાખવામાં શું વાંધો હોઈ શકે છે, સિવાય કે ‘અમારા સિવાય બીજો કોઈ નહીં.’ આજે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે એ જ જોઈ રહ્યા છીએ કે માનવતાના દૂશ્મનો દરેક ઠેકાણે સંપૂર્ણ એકાગ્રતાથી ઇસ્લામ-પસંદોને પરાજિત જોવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે. તેઓ ઇજિપ્તમાં ઇખ્વાનુલ- મુસ્લેમૂન વિરુદ્ધ સૈન્યના અત્યાચારની મદદ કરી રહ્યા છે. તેઓ અસદ (સીરિયા)ના લશ્કરની હિમાયત કરી રહ્યા છે કે ક્યાંક ઇસ્લામ- પસંદ લોકો સરકાર ન બનાવી લે. તેઓ દરેક જગ્યાએ ઇસ્લામ-પસંદોને પરાસ્ત કરવા માટે સંગઠિત છે. સીરિયા ઉપર હુમલો કરવાના પાછળ શું માનસિકતા છુપાયેલી હોઈ શકે છે ?

આપણે શું કરી શકીએ છીએ ?

આપણે આપણા જીવન-ધ્યેય તરીકે અલ્લાહના દીનની દા’વત તથા ભલાઈઓને ફેલાવવા અને બૂરાઈઓને રોકવાના કામને પૂર્ણ નિષ્ઠા અને સાચા દિલથી અને મક્કમ બનીને અપનાવવો પડશે. આપણે એ વાત સ્વીકારવી પડશે કે આપણા ત્યાં નૈતિક પતન, શરાબખોરી, નિર્લજ્જતા અને નગ્નતા, વ્યભિચાર, નશીલી વસ્તુઓનું સેવન, ચોરી વગેરે ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આપણા ત્યાં અમ્ર બિલ મા’રૃફ (ભલાઈઓને ફેલાવવું) અને નહિ અનિલ મુન્કર (બૂરાઈઓથી રોકવું)ની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. જેની જે સમજમાં આવે તે એવું કરી રહ્યો છે અને આખો સમાજ તેની યાતનાઓ ભોગવી રહ્યો છે. આપણે બિનમુસ્લિમોને દીનનો સંદેશ પહોંચાડતા નથી અને દુશ્મન તેમને દીન વિશે જૂઠા પ્રોપગન્ડાથી ભડકાવે છે. આપણા પાસે સ્થાનિક મીડિયા નથી. મોટી રાષ્ટ્રવ્યાપી જમાઅતોની પાસે પણ રાષ્ટ્રીય ભાષા કે અંગ્રેજીનું અખબાર નથી. આપણે પોતે પોતાના સમાચારો માટે મુસ્લિમ-દુશ્મન મીડિયાના મોહતાજ છીએ.

આપણે આપણી તબાહી અને બરબાદીના મૂલ્યે જ મીડિયાની તાકાતને આપણે અવગણી શકીએ છીએ. દારુલ-ઉલૂમ દેવબંદે પ્રાથમિક ધોરણે એક હિંદી દૈનિક અથવા સાપ્તાહિક શરૃ કરવું જોઈએ. તેની સાથે-સાથે અન્ય દારુલ-ઉલૂમો અને મોટા મદ્રસાઓએ પોતાની આસપાસની આબાદીઓમાં જાહેર સંપર્કો ગાઢ કરવા સમયની માંગ છે. જનસેવાના નાના-મોટા કામો, મોબાઈલ ડિસ્પેન્સરીઓ, દારૃ-નશીલી વસ્તુઓ વગેરે વિરુદ્ધ નિરંતર પ્રજાજોગ જાગૃતિના કાર્યો, જેમાં ઓછા સંસાધનોની જરૃર પડે છે, કરીને શંકા-કુશંકાના વાતાવરણને દૂર નહિં તો ઓછું કરી શકાય છે. બિનમુસ્લિમ લોકો સુધી પ્રત્યક્ષ દા’વતી, નિખાલસતાપૂર્ણ અને સુધારાત્મક સંપર્કો આજના સમયનો તકાદો છે.

સરકારો દ્વારા પોષવામાં આવેલ નફરતની પ્રચારક કોમવાદી સંસ્થાઓ અને સંગઠનોને ન્યાયાલયમાં ઘસડી લઈ જવી જરૂરી છે. તેમના વિષેલા નિરાધાર પ્રોપગન્ડાથી જ યુવા બિનમુસ્લિમ માનસ બગડી રહ્યું છે. જે રીતે આતંકવાદના નામે નકલી એન્કાઉન્ટરોમાં અદાલતી કાર્યવાહીઓ થઈ રહી છે, એ રીતે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ હેઠળ અસામાજિક તત્ત્વો અને વિઘ્ન-સંતોષી લોકો દ્વારા આ પ્રમાણે નફરત અને વૈમનસ્ય ફેલાવનાર નિવેદનો વિરુદ્ધ મેમોરેન્ડમના બદલે હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ, ઇલેક્શન કમિશન વગેરે સુધી કાર્યવાહીઓ કરવી જોઈએ. આ સંદર્ભમાં ૧૧/૯/ર૦૧૩ના દિવસે દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક સિંઘલે ફરી એક વાર ‘લવ જિહાદ’ને સમસ્યાનું મૂળ અને ખાડીના દેશોથી મદદ, ઉપરાંત તેના સમાપ્ત ન થવા અંગે વધારે બનાવોની ધમકી આપી છે. પુરાવા રૃપે બતાવવામાં આવ્યું છે કે અમે એક પુસ્તિકા ટૂંક સમયમાં જ પ્રકાશિત કરીશું. (‘હમારા સમાજ’ નવી દિલ્હી, ૧ર/૯/ર૦૧૩)

ગત વર્ષે કેરાળામાં પણ આ જ પ્રરકારનો હોબાળો ‘લવ જિહાદ’ના નામે કરવામાં આવ્યો હતો, જેના પર કેરાળા હાઇકોર્ટે તપાસ કરાવી હતી અને તેને સરાસર જૂઠ ઠેરવ્યું હતું. એ જ પ્રમાણેની પીટીશન અશોક સિંઘલ વિરુદ્ધ દિલ્હીમાં તરત જ થવી જોઈએ, જેથી તે પુરાવો રજૂ કરે, નહિં તો હાઇકોર્ટથી કાનૂની સજાની માંગ કરવામાં આવે. સમગ્ર વર્ગન ે લક્ષ્ય બનાવીને આપવામાં આવેલ. ઉશ્કેરણીજનક નિવેદનો પર કોઈ એક સંસ્થા તરફથી કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે. એ જ રીતે પ્રિન્ટ મીડિયાની અફવાઓ ફેલાવવાના કૃત્યો પર પ્રેસ કાઉન્સિલમાં ફરિયાદ કરવી પણ સમયની મહત્ત્વની જરૂરત છે. મિલ્લી નેતૃત્વએ આ સરકારના જતાં પહેલા કોમવાદી રમખાણો વિરુદ્ધ બિલ પાસ કરાવીને કાનૂન બનાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ, બલ્કે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં ન આવે લગાતાર ધરણાના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. એક તરફ દેશના વિકાસ અને આંતરિક સુરક્ષાની વાત કરવામાં આવે છે, બીજી તરફ નફરત, હત્યા, અત્યાચારને રોકવાની વ્યવસ્થા કરવામાં નથી આવતી, તો તેનો શું અર્થ હોઈ શકે છે ?

લેખક આમ તો, સિક્યુરિટી મામલાનો વિશેષજ્ઞ તો નથી, પરંતુ વિજ્ઞાનના આ યુગમાં આપણે ઘસાઈ ગયેલી પરંપરાઓ અને સાધનોનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. મુઝફ્ફરનગર રમખાણોમાં ૧૫૦ કિલોમીટરના વિસ્તારમાં એકી સાથે અત્યાચાર થઈ રહ્યો છે. આ પડકારને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના એક-બે હેલીકોપ્ટરો લગાવી દેતી, તો ટાઇમ-ફેક્ટર જે કોમવાદીઓની મદદ કરી રહ્યું હતું, તેના ઉપર કાબૂ મેળવી શકાતો હતો. હેલીકોપ્ટર માત્ર નેતાઓના પ્રવાસો માટે જ વિશેષ ન હોવા જોઈએ, આવી ઇમરજન્સીની સ્થિતિમાં તેનાથી તરત જ મદદની જગ્યાએ પહોંચવામાં સરળતા રહેતી. આ પરિસ્થિતિમાં ધીરજ, અલ્લાહ પર ભરોસો, આખિરતના ઇનામ અને સજા પર વિશ્વાસ અને દરેક સંભવ કાનૂની અને નૈતિક રીતોથી પોતાની જાન, માલ, ઇજ્જત, આબરૃની રક્ષા કરવી જ ઈમાનવાળાઓની ઓળખ અને અંબિયા અને શહીદોની રીત રહી છે. ચીસો-પોકારો, બેસબરી (ધૈર્યહીનતા) ઈમાનવાળાઓને શોભતાં નથી, અને દુનિયા અને આખિરત બંનેમાં તેમને અપમાનિત કરનાર પીડાદાયક યાતના આપનાર અમલ છે. કોશિશ એ કરવામાં આવે કે આપણે પોતે જાલિમોમાંથી ન હોઈએ અને અલ્લાહની ધરતી પરથી શાંતિ, ન્યાય, બૂરાઈઓની સમાપ્તિ અને ભલાઈઓના પ્રસાર માટે કામ કરતાં અલ્લાહની સામે હાજર થઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments